Site icon Revoi.in

થાયરૉઇડની સમસ્યાથી પરેશાન છો, તો નિયમિત રીતે આ યોગાસનોનો અભ્યાસ કરો

Social Share

તણાવના કારણે હાઈપોથાઈરોડિઝમની સમસ્યા થઈ શકે છે. થાઈરોઈડનું સ્તર વધે છે ત્યારે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓ થઈ શકે છે. થાઈરોઈડ એ ગળામાં સ્થિત એક નાની ગ્રંથિ છે, જે ઘણા હોર્મોન્સ સ્ત્રાવ કરે છે. આ હોર્મોન્સ મેટાબોલિજમ, શરીરનું તાપમાન અને વિકાસ માટે આવશ્યક હોય છે. થાઈરોઈડના સ્તરમાં ઘટાડો થવાથી શરીરને નુકસાન થઈ શકે છે. યોગ ગુરુ થાઈરોઈડના સ્તરને સંતુલિત કરવામાં યોગના આસનોને મદદરૂપ માને છે.
સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગ ફાયદાકારક માનવામાં આવે છે. યોગથી શરીરની ઉર્જા સંતુલિત થાય છે અને તેની સાથે જોડાવાથી તણાવની સમસ્યાથી છૂટકારો મળે છે. ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગને અસરદાર માનવામાં છે. થાયરાઈડના સ્તરને નિયંત્રિત કરવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કેટલાક યોગાસનોના ફાયદા બતાવવામાં આવ્યા છે.
• થાઇરોઇડ માટે સેતુબંધાસનનો અભ્યાસ
આ આસનને બ્રિજ પોઝ પણ કહેવામાં આવે છે. પીઠ અને કરોડરજ્જુને મજબૂત કરવા માટે લાભકારી છે. સેતુબંધાસનનો અભ્યાસ કરવાથી થાઈરોઈડના લક્ષણો ઓછા શકાય છે. આ આસન કરવા માટે, તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા પગને ખભાની પહોળાઈ પર સહેજ દૂર રાખો અને તમારા ઘૂંટણને વાળો. હવે હથેળીઓ ખોલો અને હાથને જમીન પર સીધા રાખો અને શ્વાસ લેતી વખતે કમરનો ભાગ ઉપરની તરફ ઉઠાવો. શ્વાસ બહાર કાઢો અને પેલાની સ્થિતિમાં પાછા આવો.
• કોબરા પોઝ
થાઈરોડની સમસ્યાથી રાહત મેળવવા માટે કોબરા પોઝનો અભ્યાસ કરી શકીએ છીએ. આ આસનને ગળા અને થાઈરોઈડને ઉત્તેજિત કરવામાં મદદ રૂપ માનવામાં આવે છે. કોબરા પોઝનો અભ્યાસ માટે જમીન પર સૂઈ તમારી હથેળીઓને ખભા-પહોળાઈથી અલગ ફ્લોર પર મૂકો. શ્વાસ લેતી વખતે, છાતીને ફ્લોર પરથી ઉંચી કરો અને ઉપર દેખો. હવે શરીરને ફ્લોર પર પાછા લાવો. આ યોગનું પુનરાવર્તન કરો.