Site icon Revoi.in

કોલકાતાના આ સ્થળોની નવરાત્રિ પૂજા નથી જોઈ, તો તમે કઈ જોયું નથી

Social Share

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તે સમગ્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ કરીને કોલકાતામાં તેની અલગ સ્ટાઈલ જોવા મળે છે. અહીં લોકો દેવી દુર્ગામાં ખૂબ માને છે અને નવરાત્રિના સમયે અહીં મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો દેવીના દર્શન કરવા આવે છે. આ તહેવારની વિશેષ જાહોજલાલી આખા કોલકાતામાં જોવા મળે છે. અહીં અમે તમને કોલકાતાની કેટલીક એવી પ્રખ્યાત જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.

બાગ બજાર

બાગ બજાર વિશે એવી માન્યતા છે કે મા દુર્ગા અહીં પૂરા 9 દિવસ નિવાસ કરે છે. નવરાત્રિ દરમિયાન આ સ્થળે દર્શન કરવા માટે લોકોની મોટી ભીડ જામે છે. અહીં કરવામાં આવતી દુર્ગા પૂજા સૌથી જૂની દુર્ગા પૂજાઓમાંની એક છે.

બંધુમહલ ક્લબ, બગુઆટી

દુર્ગા પૂજા દરમિયાન અહીં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેની સાથે નવરાત્રિ દરમિયાન આ સ્થાન પર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

સંતોષ મિત્રા સ્ક્વેર

સંતોષ મિત્રા સ્ક્વેર પંડાલ કોલકાતાનો સૌથી પ્રખ્યાત દુર્ગા પંડાલ માનવામાં આવે છે. દર વર્ષે વિવિધ થીમ પર પંડાલ બનાવવામાં આવે છે અને મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને જોવા માટે અહીં લોકોની ભીડ એકઠી થાય છે.

શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ

શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબમાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે. પંડાલને અલગ-અલગ થીમમાં સજાવવામાં આવ્યા છે. એકવાર પંડાલને બુર્જ ખલીફાની થીમ પર શણગારવામાં આવ્યો હતો, જેણે ઘણા લોકોને આકર્ષ્યા હતા.

Exit mobile version