Site icon Revoi.in

ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)

Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના અંતિમ ભાગને રજૂ કરીશું.  આ લેખ સાથે ટાઇમલાઈન અયોધ્યા શ્રેણી અહીં પૂર્ણ થાય છે.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 6” એટલે કે શ્રેણીના અંતિમ ભાગ સાથે રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષના અંતિમ અને મહત્વના પડાવ વિશે વાંચીએ.

આ અંતિમ દસકો રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ પડાવ હતો. અલાહાબાદ હાઇકોર્ટના જમીનના કબજાને લઈને અપાયેલા ચુકાદાએ મામલો વધુ ગુંચવ્યો અને બધું વાજતે ગાજતે સર્વોચ્ય અદાલતમાં ગયું. ૨૦૧૪માં ભાજપની સ્પષ્ટ બહુમતિવાળી, રથયાત્રાના અદૃષ્ટ સારથીના નેતૃત્વમાં સરકાર બની અને રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો થયો. સર્વોચ્ચ અદાલતમાં પણ ઘણી દિલધડક કાનુની પ્રક્રિયાઓ અને દસ વર્ષની દલીલો પછી ૯ નવેમ્બર,૨૦૧૯ના રોજ પાચ જજોની બેંચે શકવર્તી ચૂકાદો આપી રામલલ્લાને આખરે એમનું ઘર પરત અપાવ્યું. આગામી બુધવારે ન્યાસ દ્વારા આ ભવ્ય મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. આવો અંતિમ કડીમાં જોઈએ કેટલીક મહત્વની ઘટનાઓ.

મિત્રો, ટાઈમલાઈન અયોધ્યા શ્રેણી અહી પૂરી થાય છે પણ ભારતના ભાવિનો એક પથ્થર બુધવારે નંખાશે, રામલલ્લાને પોતાનું ઘર પાછું મેળવવા ૪૯૨ વર્ષ લાગી ગયા, તેમને આ ઘર પરત અપાવવા અસંખ્ય રામભકતોએ અહર્નિશ પરિશ્રમ કર્યો, લોહી પસીનો એક કર્યા, મહામૂલો જીવ પણ ગુમાવ્યો, હવે આશા કરીએ કે તેમનું ભવ્ય નિવાસ આવનારી પેઢીઓને “અપમાનબોધ”થી દૂર કરી વિજયવિજીગીશું વૃત્તિ તરફ લઈ જાય. જય શ્રી રામ…

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

(તસવીર સ્ત્રોત: “યુદ્ધમે અયોધ્યા” પુસ્તકમાંથી)

(તસવીર: કારસેવા બાદ સમતલિકરણ અને પૂજાપાઠની તૈયારીઓની)