Site icon Revoi.in

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં PM મોદીએ ભરી હુંકાર, ચૂંટણી રેલીને સંબોધતા CM બઘેલ પર સાઘ્યુ નિશાન

Social Share

રાયગઢઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ  શનિવારે છત્તીસગઢ રાજ્યના દુર્ગ જીલ્લાની મુલાકાતે પહોચ્યા છએ આગામી વિઘાન સભાની ચૂંટણીને લઈને પીએમ મોગીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ત્યારે આજે અહી દુર્ગ જીલ્લામાં પીએમ મોદીએ રેલીને સંબોઘિત કરી હતી અને વિપક્ષ પર નિશાન સાઘ્યુ હતું.

છત્તીસગઢના દુર્ગમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે ભાજપનો રેકોર્ડ છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. છત્તીસગઢમાં ભાજપની સરકાર આવી અને હું તમને ખાતરી આપું છું કે ભાજપ હવે છત્તીસગઢને નવી દિશા આપશે.

પીએમે કહ્યું કે છત્તીસગઢ ભાજપે તમારા સંકલ્પોને સાકાર કરવા માટે ગઈકાલે જ ઠરાવ પત્ર બહાર પાડ્યો હતો. છત્તીસગઢ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું છે અને હું ખાતરી આપું છું કે માત્ર ભાજપ જ છત્તીસગઢને સુધારશે. આ બધાની વચ્ચે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પોટલો પણ છે. કોંગ્રેસની પ્રાથમિકતા ભ્રષ્ટાચારથી તિજોરી ભરવાની છે. 

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે આખું રાજ્ય કહી રહ્યું છે કે બીજેપી આવી રહી છે. રાજ્યના સીએમ ભૂપેશ બઘેલનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલા રાયપુરમાં મળેલા પૈસા સટોડિયાઓના છે. મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે દુબઈના લોકો સાથે તેમના સંબંધો કેવા છે. બે દિવસ પહેલા રાયપુરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈસા ભેગા કરવામાં આવી રહ્યા છે તે સટોડિયાઓના છે. મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે દુબઈના લોકો સાથે તેમના સંબંધો શું છે?

વઘુમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મારી સાથે દરરોજ 2 થી 3 કિલો ગાળો આપે  છે. હું રોજ ગાળો ખાવ છું , પરંતુ મોદી આનાથી ડરતા નથી. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર તમને લૂંટવાની કોઈ તક છોડતી નથી.પીએમ મોદીએ કહ્યું, ભાજપે છત્તીસગઢ બનાવ્યું છે. દુર્ગના લોકોએ નવો રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું છે. આખું છત્તીસગઢ કહી રહ્યું છે કે આ વખતે અહીં ભાજપ છે.

ભાજપે ગઈકાલે જ ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ અને યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોંગ્રેસે ગરીબોને લૂંટવા સિવાય કશું કર્યું નથી. પીએમ મોદીની રેલી પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ  લગાવ્યો હતો.