Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 81 લોકોના મોત,નવા 1,096 કેસ નોંધાયા

Social Share

દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં પહેલા જેવું સામાન્ય વાતાવરણ જોવા મળી શકે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,૦96 નવા કેસ નોંધાયા છે જયારે 1447 લોકો ડીસ્ચાર્જ થયા છે.81 લોકોના કોરોનાથી મોત થયા છે.જે બાદ કોરોનાના કુલ 4,30,28,131 કેસ નોંધાયા છે.જયારે મોતનો કુલ આંકડો 5,21,345 એ પહોંચી ગયો છે.દેશમાં 13,01૩ એક્ટિવ કેસ છે અને કુલ 4,24,93,77૩ રીકવર થયા છે.જો વેક્સિનેશનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 1,84,66,86,260 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

જો કે સરકાર દ્વારા અને લોકો દ્વારા કોરોનાને હરાવવા માટે અનેક અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે.કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.