Site icon Revoi.in

રોજીંદા ખોરાકમાં આટલા વિટામિન યુક્ત ખોરાકનો કરો સમાવેશે, આંખોને લગતી તમામ સમસ્યાઓમાં મળશે રાહત

Social Share

આજની આ ફાસ્ટ લાઈફમાં અને ફાસ્ટફૂડ ખાવાની હોળમાં ખૂબ જ નાની ઉંમરે આંખોને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તમે તમારી આસપાસના ઘણા નાના બાળકોને હાઈ પાવર ચશ્મા પહેરેલા પણ જોયા હશે, નાની ઉંમરે આંખના રોગોનું મુખ્ય કારણ આરોગ્ય નિષ્ણાતો નબળી જીવનશૈલી અને ખોરાકમાં પોષણનો અભાવ માને છે. આવી સ્થિતિમાં, જો તમે વૃદ્ધાવસ્થા સુધી તેજ દ્રષ્ટિથી મોતિયા જેવા તમામ રોગોથી દૂર રહેવા માંગતા હો, તો આ માટે હવેથી સજાગ રહેવાની જરૂર છે.તે માટે વિટામીન્સથી ભરપુર આહાર લેવાની જરુર છે.

આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન-ઇ સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે. વિટામિન ઇ ચરબી-દ્રાવ્ય એન્ટીઓકિસડન્ટોનું જૂથ છે જે ફેટી એસિડ્સને હાનિકારક ઓક્સિડેશનથી સુરક્ષિત કરે છે. આપણા રેટિનામાં ફેટી એસિડની સાંદ્રતા હોવાથી, તંદુરસ્ત આંખો જાળવવા માટે વિટામિન ઇનો પૂરતો વપરાશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બદામ, સૂર્યમુખીના બીજ અને અળસીનું તેલ આ વિટામિનથી સમૃદ્ધ છે.

નેત્ર ચિકિત્સકોના મત પ્રમાણે જો નાની ઉંમરથી જ જીવનશૈલીમાં સુધારા સાથે આહારનું ધ્યાન રાખવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ આંખોને સ્વસ્થ રાખવું સરળ બને છે. તો ચાલો જાણીએ આંખોને સ્વસ્થ રાખવા કયા પોષક તત્વોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ,

આંખોને તેજ બનાવવા આટલી વસ્તુનું કરો સેવન

વિશ્વભરમાં અંધત્વના સૌથી સામાન્ય કારણોમાં વિટામિન એનો અભાવ છે. આ વિટામિન તમારી આંખોના પ્રકાશ-સંવેદના કોષોને સ્વસ્થ રાખવા માટે જરુરી છે, જો તમે પૂરતા પ્રમાણમાં વિટામિન એ ન લેતા હો, તો તમને રાત્રિના અંધત્વ, સૂકી આંખો અથવા વધુ ગંભીર રોગો થઈ શકે છે. આહારમાંથી વિટામિન એ મેળવવા માટે, પીળા ફળો અને કેટલાક શાકભાજી સાથે ઇંડા જરદી અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે.

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તંદુરસ્ત આંખો જાળવવા માટે ઓમેગા -3 ફેટી એસિડ સૌથી ફાયદાકારક હોઈ શકે છે. ઓમેગા -3 ફેટી એસિડ યુક્ત ખોરાકનું સેવન કરવાથી આંખોમાં શુષ્કતાની સમસ્યા દૂર થઈ શકે છે. આંખના ઘણા રોગોના જોખમને ઘટાડવામાં આ પોષક તત્વોના ફાયદા પણ જાહેર થયા છે. નટ્સ, બીજ, સેલ્મોન અને ટ્યૂના જેવી માછલીઓ ઓમેગા -3 ફેટી એસિડના સારા સ્ત્રોત માનવામાં આવે છે.

આપણી આંખોને અન્ય ઘણા અવયવો કરતા વધારે પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટોની જરૂર પડે છે, તેથી વિટામિન-સી આહારનું સેવન તમારા માટે ફાયદાકારકછે. આંખના સ્વાસ્થ્ય પરના અભ્યાસો સૂચવે છે કે મોતિયાવાળા લોકોમાં એન્ટીઓકિસડન્ટોની ઉણપ હોય છે. જે લોકો વિટામિન-સી સપ્લિમેન્ટ લે છે તેમને મોતિયા થવાની શક્યતા ઓછી છે. કેપ્સિકમ, સાઇટ્રસ ફળો, જામફળ, લીંબુ, નારંગી અને બ્રોકો