Site icon Revoi.in

અમદાવાદમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 35 સ્થળો ઉપર તપાસ

Social Share

અમદાવાદઃ શહેરમાં લંબા સમય બાદ આજે આવકવેરા વિભાગે જાણીતા ગૃહ ઉપર દરોડા પાડ્યાં હતા. એટલું જ નહીં આ ગૃપ સાથે જોડાયેલા કેમિકલ જૂથ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડાના પગલે અન્ય ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યાનું જાણવા મળે છે. આઈટીની તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જાણીતા બિલ્ડર્સ જૂથના સંચાલક અને તેમના ભાગીદારો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ જૂથ સાથે જોડાયેલા અન્ય કેમિકલ ગ્રુપ ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ જૂથના સંચાલકોની ઓફિસ, નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહીમાં અમદાવાદ ઉપરાંત વડોદરા અને રાજકોટના 100થી વધારે અધિકારી-કર્મચારીઓ જોડાયાં હતા.

શહેરમાં સવારથી આંબલી સહિતના વિવિધ વિસ્તારોમાં જૂથના સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીને પગલે અન્ય ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આઈટીના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળ્યા હોવાનું જાણવા મળે છે. આઈટીના અધિકારીઓએ નાણાકીય લેવડ-દેવડને લઈને હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે. દરોડાના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.