નવી દિલ્હી, 27 જૂન 2026: ભારતીય નૌકાદળના પૂર્વીય ફ્લીટ જહાજો ઉદયગિરી, કવારત્તી અને શક્તિ દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રમાં તેમની ઓપરેશનલ ડિપ્લોયમેન્ટના ભાગ રૂપે થાઈલેન્ડના સત્તાહિપ પહોંચ્યા હતા. પૂર્વીય ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ, રીઅર એડમિરલ આલોક આનંદની આગેવાની હેઠળના જહાજોનું રોયલ થાઈ નેવી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
આ પોર્ટ કોલ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે ભારતના સતત દરિયાઈ જોડાણનો એક ભાગ છે અને ભારત અને થાઈલેન્ડ વચ્ચે ગાઢ અને લાંબા સમયથી ચાલતી દરિયાઈ ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાતમાં વ્યાવસાયિક આદાનપ્રદાન, ક્રોસ-ડેક મુલાકાતો, ઓપરેશનલ ક્રિયાપ્રતિક્રિયાઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને સમુદાય સંપર્કનો સમાવેશ થશે, જેનો હેતુ નૌકાદળો વચ્ચે સહયોગ અને આંતર-કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આ પોર્ટ કોલનો હેતુ ભારત અને થાઈલેન્ડ વચ્ચે મિત્રતા, સહયોગ અને દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તે ભારતીય નૌકાદળના જહાજોની સ્વદેશી ડિઝાઇન, મોડ્યુલર બાંધકામ અને અત્યાધુનિક ટેકનોલોજીનું પણ પ્રદર્શન કરે છે, જે સરંક્ષણ ટેકનોજોલીના ક્ષેત્રમાં બારતની વધતી જતી ક્ષમતાઓ અને વિશ્વસનીય ભાગીદાર તરીકેની તેની પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે.

