Site icon Revoi.in

પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર ઈરાનનો હવાઈ હુમલો

Social Share

નવી દિલ્હી: ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો. જેમાં બે બાળકોના મોત અને ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, આના પરિણામો સારા નહીં આવે. ઈરાનની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં જૈશના આતંકવાદી અડ્ડાઓને મિસાઈલ, ડ્રોનથી નિશાન બનાવાયા અને અને તેનો નાશ કરાયો.

ઈરાનનો દાવો છે કે, આ હુમલો તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોન વડે કર્યો છે.