લખનૌઃ કાનપુરમાં દંપતિની ઘાતકી હત્યા કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દંપતિએ ગોદ લીધેલી દીકરીએ જ પ્રેમી સાથે મળીને દંપતિની ઘાતકી હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. યુવતીએ પાલક માતા-પિતાની કરોડની સંપતિ પચાવી પાડવા માટે પ્રેમી સાથે મળીને સમગ્ર કાવતરુ ઘડ્યું હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાથી સંબંધીઓ અને પરિચિતો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, મુન્ના લાલની સરસૌલમાં હાઈવેની બાજુમાં 4 વીઘા જમીન છે. જેની કિંમત કરોડો રૂપિયા છે. બારા-2માં એક મકાન છે અને છ અલગ-અલગ જગ્યાએ પ્લોટ પણ છે. આ મિલકતના લોભમાં કોમલે તેના પ્રેમી સાથે ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોમલ લાંબા સમયથી રોહિત નામના યુવાનના સંપર્કમાં હતી. રોહિતને કોમલે જ પોતાના પરિવાર અને સંપત્તિ વિશે માહિતી આપતી રહી. આ કારણે રોહિતના મનમાં લાલચ ઉભી થઈ હતી. જેથી તેણે જ કોમલ સાથે મળીને સંપત્તિ પચાવી પાડવાના ઈદારે જ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.
(Photo-File)