Site icon Revoi.in

આ દિશામાં રાખો સોનાની માછલી,ઘરમાં સૌભાગ્ય વધશે,ધન અને સમૃદ્ધિનો પણ લાભ મળશે

Social Share

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ગોલ્ડફિશને ઘરમાં રાખવાની વાત કરીશું. એવું કહેવાય છે કે માછલી રાખવાથી ઘરમાં ધન અને સુખ-સમૃદ્ધિ આવે છે. માછલીઓના ઉછળ-કૂદથી મનને શાંતિ મળે છે અને તેની સાથે બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સોનાની માછલી રાખવી જોઈએ. સોનાની માછલી ઘરનું સૌભાગ્ય વધારવામાં ખૂબ જ મદદગાર છે.ગોલ્ડન ફિશને સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે. સોના જેવી દેખાતી આ માછલી તમારા જીવનમાં પણ સોના જેવી ચમક ફેલાવશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે તમારા ઘરના ડ્રોઇંગ રૂમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં નાના એક્વેરિયમમાં સોનાની માછલી રાખી શકો છો. આ સિવાય એરોવાના માછલીને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.માછલીની જોડી ઘરમાં રાખવાથી જીવનમાં ધન આવતું રહે છે. આ સિવાય ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર માછલીઘર વિશે એવું કહેવામાં આવે છે કે જો તેને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તે આખા ઘરમાં સમૃદ્ધિ લાવે છે, પરંતુ જો તેને ભૂલથી પણ ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી ગરીબી પણ આવી શકે છે.