સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ઘણી વખત આપણને રસોઈ કરતાં મોડું થઈ જય છે અને જાતપટ બની જય તેવું શાક બનવાની ઈચ્છા થાઈ છે આવી સ્થિતિ માં આપણે કેટલીક ટિપ્સ જોઈશું જેને ફોલો કરવાથી આપના શાક જલ્દી અટલેકે 5 જ મિનિટ માં બની જશે જ્યારે તરત જ શાક બંનવું હોય તો આ ટિપ્સ થી તમે કાજુ પનીર, પનીર મટર કે પનીર કોફ્તા જેવી કોઈ પણ પંજાબી સબજી કે પછી દમ આલુ કે આખી ડુંગરીનું શાક બની જશે બસ આ માટે તમારે ઍક ગ્રેવી બનાવીને સ્ટોર કરી લેવાની છે
સામગ્રી
- 2 નંગ -ડુંગળી
- 3 નંગ – નાની સાઈઝના ટામેટા
- 1 નંગ – મોટો આદુનો ટૂકડો
- 10 થી 12 – લસણની કળી
- 4-5 નંગ મરી
- 2 નંગ – તજ
- 2 નંગ લવિગં
- 1 ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- સ્વાદ પ્રમાણે – હળદર
- 4 ચમચી – તેલ
સૌ પ્રથમ ડુંગળીને મોચી મોટી સમારીલો, ત્યાર બાદ ટામેટાના મોટા ટૂકડા કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો , હવે કઢાઈમાં જીરુ લાલ કરીલો, તેમાં તજ,લવિંગ અને મરી આદુ અને લસણ એડ કરીલો, હવે તેમાં ડુંગળી એડ કરીને 4 થી 5 મિનિટ સાંતળી લો
ત્યાર બાદ તેમાં ટામેટા ,મીઠું, હળદર એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી કરીને 2 મિનિટ થવાદો
હવે આ ગ્રેવીમાં લાલ મરચું એડ કરીલો અને થોડીનાર થવાદો, ત્યાર બાદ ગેસ બંધ કરીલો
હવે આ ગ્રેવી ઠંડી થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીલો હવે આ ગ્રેવીને એર ટાઈડ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખીદો, હવે જ્યારે પણ પનીરનું કોઈ પણ ષાક બનાવો ત્યારે આ ગ્રવી નાખીને બનાવી દેવું જેથી શાક માત્ર 5 મિનિટમાં બની જશે