Site icon Revoi.in

લદ્દાખ: લેહમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Closeup of a seismograph machine earthquake

Social Share

શ્રીનગર : લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી જાણકારી મુજબ,રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી.

ગયા મહિને પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા હતા. ગયા મહિને સતત બે દિવસ સુધી ભૂકંપના કારણે લદ્દાખની જમીન કંપી ઉઠી હતી.ત્યારે એક મહિના પછી ફરીથી ભૂકંપ આવ્યો છે.

ગયા મહિને 21 અને 22 મેના રોજ લદ્દાખમાં સતત બે દિવસ ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 4.2 અને ૩.6 નોંધાઈ હતી. આ વખતે ભૂકંપની તીવ્રતા પહેલા કરતા વધારે છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.