Site icon Revoi.in

વિશ્વ મેલેરિયા દિવસનો ઈતિહાસ,થીમ,લક્ષણો અને નિવારણ વિશે જાણો

Social Share

વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.આ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ 25મી એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે.આજે ઘણા દેશો આ ખતરનાક રોગ સામે લડી રહ્યા છે.મેલેરિયા દર વર્ષે લાખો લોકોને ગળી જાય છે. મેલેરિયા એક જીવલેણ રોગ છે, જે સંક્રમિત મચ્છરોના કરડવાથી ફેલાય છે.

જાણો શું છે વિશ્વ મેલેરિયા દિવસનો ઈતિહાસ

25 એપ્રિલ 2008ના રોજ પ્રથમ વખત વિશ્વ મેલેરિયા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિસેફે આ દિવસની શરૂઆત કરી હતી.દર વર્ષે સમગ્ર વિશ્વમાં આ રોગને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે, તેથી જ આ દિવસની ઉજવણી કરવાનું કારણ છે, જેથી લોકો આ જીવલેણ રોગ વિશે જાગૃત રહે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ગ્રામીણ અને અવિકસિત વિસ્તારોમાં વધુ છે.

મેલેરિયાનો ઇતિહાસ

‘મેલેરિયા’ ઇટાલિયન શબ્દ ‘માલા’ + ‘એરિયા’ પરથી ઉતરી આવ્યો છે. આનો અર્થ છે ખરાબ હવા. એવું માનવામાં આવે છે કે,આ રોગ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો, જ્યાં તે સમયે તેને સ્વેમ્પ ફીવર કહેવામાં આવતું હતું, કારણ કે આ રોગ ગંદકી દ્વારા ફેલાય છે.મેલેરિયા પર પ્રથમ અભ્યાસ 1880માં વૈજ્ઞાનિક ચાર્લ્સ લુઈસ આલ્ફોન્સ લેવેરિન દ્વારા કરવામાં આવ્યો હતો.

આ વર્ષની થીમ-

દર વર્ષે તેના વિશે એક થીમ રાખવામાં આવે છે, જેના પર દેશના વિવિધ ડોકટરો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો તેના પર કામ કરે છે. આ વર્ષની થીમ “મેલેરિયાના બોજને ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ કરો”. આ રાખવાનો હેતુ દેશમાંથી આ રોગને જડમૂળથી દૂર કરવાનો અને દેશને મેલેરિયા મુક્ત બનાવવાનો છે.

મેલેરિયા થવાના કારણો

મેલેરિયા એ સૌથી સામાન્ય પરંતુ ગંભીર રોગ છે જે વરસાદની ઋતુમાં થતો હોય છે.વરસાદની મોસમમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે.મલેરિયા આ મચ્છરોના કરડવાથી થાય છે. આ મચ્છરને માદા એનોફિલીસ કહેવામાં આવે છે.તેના કરડવાથી વ્યક્તિને મેલેરિયાનો ચેપ લાગે છે. આનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારી આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.

મેલેરિયાના લક્ષણો

• સતત ઉચ્ચ તાવ
• ખૂબ ઠંડુ થવું
• પુષ્કળ પરસેવો
• શરીરમાં નબળાઈ

મેલેરિયા નિવારણ
• • મેલેરિયા રોગ અટકાવવા માટે કેટલાક પગલાં છે. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે આ ગંભીર બીમારીનો શિકાર થવાથી બચી શકો છો. મેલેરિયાથી કેવી રીતે બચવું તે જાણો.
• • મેલેરિયાથી બચવાનો પ્રથમ રસ્તો એ છે કે તમારી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો.
• • જો ઘરમાં કુલર હોય તો દર અઠવાડિયે પાણી બહાર કાઢીને સાફ કરો.
• કૂલરમાં કેરોસીનના થોડા ટીપાં નાખવાથી પણ મચ્છરો ઉત્પત્તિ પામતા નથી.
• • વરસાદની ઋતુમાં આખી બાંયના કપડાં પહેરો.
• • સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો