Site icon Revoi.in

ઘરમાં તુલસીનો છોડ શા માટે લગાવો છે જરૂરી, જાણો ધાર્મિક મહત્વ

Social Share

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર, પૂજનીય અને લાભદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો ઉપરાંત તેનો ઉપયોગ આર્યુવેદમાં પણ થાય છે. મોટાભાગના લોકો ઘરોમાં તુલસીનો છોડ રોપતા હોય છે. તુલસીનો છોડ આપણા માટે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેનો ઉપયોગ અનેક રોગોથી મુક્તિ મેળવવા માટે થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને દેવી તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. આ સિવાય હનુમાનજીની પૂજામાં તુલસીના પાન પણ ચઢાવવામાં આવે છે. તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તો,ચાલો જાણીએ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના ધાર્મિક મહત્વ વિશે.