Site icon Revoi.in

શરીરમાં વિટામિન બી-12નું પ્રમાણ ઓછું છે? તો આ ખોરાકને કરો પોતાના ડાયટમાં સામેલ

Social Share

શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. પણ ક્યારેક કેટલાક લોકોના શરીરમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વોની કમી જોવા મળતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિટામીન બી-12ની કમી હોય ત્યારે તે વ્યક્તિએ પોતાનો ડાયટ કઈક આ પ્રકારે કરવો જોઈએ જેથી કરીને શરીરમાં વિટામિન તત્વોની કમી રહે નહી.

જો શાકાહારીઓ સ્વસ્થ રહેવાની સાથે સ્વાદિષ્ટ કંઈક ખાવા માંગતા હોય તો તેઓ ઓટ્સ અજમાવી શકે છે. તેમાં વિટામિન B-12 યોગ્ય માત્રામાં હોય છે. તમે ઓટ્સ સાથે વનસ્પતિ પોર્રીજ ખાઈ શકો છો. અથવા તમે ઓટ્સની સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકો છો. ખાસ વાત એ છે કે તે હેલ્ધી અને ટેસ્ટી હોવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

તે વિટામિન B-12 નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. મશરૂમમાં વિટામિન બી-12ની સાથે પ્રોટીન અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તમે મશરૂમમાંથી બનાવેલ સ્વાદિષ્ટ શાકને તમારા આહારનો ભાગ બનાવી શકો છો

આ વિટામિન શરીરમાં લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેમજ તેને હૃદય અને મગજ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આંખોની શ્રેષ્ઠ સંભાળ માટે, ડોકટરો પણ આ વિટામિનની ઉણપને દૂર કરવાની ભલામણ કરે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તે શરીરમાં ઓછું થવા લાગે છે, તો ભૂખ ન લાગવી, શરીરમાં નબળાઇ, એનિમિયા, ચીડિયાપણું, કળતર, વાળ ખરવા, કબજિયાત અને અન્ય જેવા ઘણા લક્ષણો દેખાવા લાગે છે.

Exit mobile version