Site icon Revoi.in

કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ

Social Share

દિલ્હી: કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપ બાદ સાયરન વાગવા લાગ્યું અને થોડીવાર પછી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દરમિયાન એક મહિલાએ 10મી બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાનની વાત સામે આવી નથી. ભૂકંપ ગુરુવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 12:04 વાગ્યે (1704 GMT) આવ્યો હતો, જેનું કેન્દ્ર દેશના મધ્યમાં અલ કેલ્વેરિયો શહેરમાં હતું, બોગોટાથી 40 કિલોમીટર (25 માઇલ) દક્ષિણપૂર્વમાં.

અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે આવેલા ભૂકંપના કારણે કોઈ મોટા નુકસાનની કોઈ માહિતી નથી. તે જ સમયે, મેયરના જણાવ્યા અનુસાર, ભૂકંપ દરમિયાન લોકો લિફ્ટમાં ફસાયા હોવાના અને અન્ય નાની ઘટનાઓના અહેવાલ છે.

કોલમ્બિયા અને અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા ભૂકંપની તીવ્રતાના અંદાજ માટે અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે. કોલમ્બિયન જીઓલોજિકલ સર્વે (CGS) એ ભૂકંપની તીવ્રતા 6.1 તરીકે દર્શાવી હતી, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ તેની તીવ્રતા 6.3 તરીકે દર્શાવી હતી. ભૂકંપનું કેન્દ્ર અલ કાલવારિયો શહેર હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Exit mobile version