Site icon Revoi.in

મોદી સરકારે CDSના પદ પર નિયુક્તિના નિયમોમાં કર્યા મોટા ફેરફાર  

Social Share

દિલ્હી:કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ પર નિમણૂક માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.સીડીએસના પદ માટે લાયક અધિકારીઓના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરતા સંરક્ષણ મંત્રાલયે મંગળવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે હેઠળ નેવી અને એર ફોર્સમાં સેવા આપતા લેફ્ટનન્ટ જનરલ અથવા તેમના સમકક્ષ પણ સીડીએસ બની શકે છે. માર્ગદર્શિકા ત્રણેય સેવાઓના બીજા શ્રેષ્ઠ સક્રિય ક્રમના અધિકારીઓને તેમના વરિષ્ઠ જેમ કે આર્મી સ્ટાફ – ચીફ ઓફ ધ એર સ્ટાફ અને નેવી ચીફને ‘સુપરસીડિંગ’ કરીને CDS બનવાનો માર્ગ મોકળો કરે છે.

પાત્રતાના માપદંડમાં બીજો મહત્વનો ફેરફાર એ છે કે,તાજેતરમાં નિવૃત્ત થયેલા આર્મી ચીફ અને ડેપ્યુટી ચીફ પણ આ પદ માટે લાયક ગણાશે, જોકે આ માટે વય મર્યાદા 62 વર્ષની છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું ગયા વર્ષે ડિસેમ્બરમાં તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ આ ફેરફારો સામે આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવતની પત્ની અને કેટલાક ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી ભારતના સીડીએસનું પદ ખાલી છે. આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થયા બાદ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ત્રણેય સેનાના પ્રમુખ નેશનલ મીડિયા સેન્ટરમાં એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે.આ પ્રેસ કોન્ફરન્સ સરકારની નવી નીતિ વિશે હશે. એવું થઇ શકે છે કે,ત્રણેય સેના પ્રમુખ ડ્યુટીના પ્રવાસ અંગે જાહેરાત કરે, જે અંતર્ગત 40 થી 50 હજાર સૈનિકોની ભરતી કરવામાં આવશે. તેમની પાસે લગભગ સાડા ત્રણથી ચાર વર્ષની નોકરી હશે.ચાર વર્ષની સેવા બાદ 75 ટકા લોકો નીકળી જશે જ્યારે 25 ટકા લોકો સેનામાં જોડાઈ શકશે.નોંધનીય છે કે લગભગ અઢી વર્ષથી સેનામાં સૈનિકોની ભરતી કોરોનાના કારણે થઈ રહી નથી.