Site icon Revoi.in

મમતા બેનર્જીએ શરૂ કર્યો જનસંપર્ક કાર્યક્રમ,લોકો સીધી મુખ્યમંત્રીને કરી શકશે ફરિયાદ

Social Share

કોલકાતા : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જનસંપર્ક કાર્યક્રમ શરુ કર્યો છે,જેના દ્વારા લોકો સીધી ફરિયાદ મુખ્યમંત્રીને કરી શકશે.પંચાયત ચૂંટણી પહેલા ગુરુવારે ‘સીધા મુખ્યમંત્રી’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાજ્ય સચિવાલય નવાનથી તેનું ઉદઘાટન કરતાં મમતાએ એક મોબાઈલ નંબર- 9137091370 પણ બહાર પાડ્યો, જેના પર લોકો તેમની સીધી ફરિયાદ કરી શકશે.

આ દરમિયાન સીએમ મમતાએ પત્રકારોને કહ્યું કે આ નંબર સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જેના પર લોકો તેમની કોઈપણ સમસ્યા વિશે મને સીધો ફોન કરી શકે છે.

તેમણે આશ્વાસન આપ્યું હતું કે આના દ્વારા મળેલી ફરિયાદોનો વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. સીએમ મમતાએ કહ્યું કે અગાઉ લોકોની ફરિયાદોના નિવારણ માટે, તેમણે સમાન કાર્યક્રમ દીદી કે બોલો શરૂ કર્યો હતો, જે તેમની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી હતી. પરંતુ નવો કાર્યક્રમ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

સીએમ મમતાએ આશા વ્યક્ત કરી કે લોકોને આ કાર્યક્રમનો ઘણો લાભ મળશે. આ દરમિયાન મમતાએ તમામ વિભાગોના સચિવોને લોકોની ફરિયાદોને ગંભીરતાથી લેવા અને સંપૂર્ણ જવાબદારી લેવા અને સમયસર તેનું નિરાકરણ કરવા સૂચના આપી.

આ દરમિયાન સીએમ મમતાએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારે સરકાર અને પદ સમાધાન શિવિર દ્વારા 6.76 કરોડથી વધુ લોકોને સરકારી સેવાઓનો લાભ આપવામાં સફળ રહી છે. તેમણે કહ્યું કે બાંગ્લા સહાયતા કેન્દ્રો (BSK) દ્વારા 10 કરોડ લોકોને સેવા આપવામાં આવી છે.