1. Home
  2. Tag "mamata banerjee"

મમતા બેનર્જીને કોંગ્રેસ-ડાબોરીએનો ઈન્કાર, સંયુક્ત મોરચો બનાવવા કરી હતી અપીલ

કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાની મમતા બેનર્જીની અપીલને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સ્પષ્ટપણે નકારી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ, સીપીએમ અને અન્ય ડાબેરી પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓએ આ પહેલને પાયાવિહોણી ગણાવી છે. કોંગ્રેસના […]

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી

કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ […]

ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ “રસગુલ્લા” સાથે બંગાળ વિજયને વધાવ્યો

ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી […]

મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ

કોલકાતા, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને બંગાળમાં સત્તાપરિવર્તન થાય તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાની સરકાર બનતી જોવા મળી રહી છે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમજ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ખાસ અપીલ કરતી પોસ્ટ સોશિયલ […]

ટીએમસીને વધુ એક સુપ્રીમ ફટકો, મતગણતરી મામલે મમતા બેનરજીની અરજી ફગાવી

નવી દિલ્હી, 2 મે, 2026: ટીએમસીને વધુ એક અદાલતી ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય કર્મચારીઓની હાજરી સામે મમતા બેનરજીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે. આજે શનિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં TMCનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ TMCને કોઈ રાહત […]

પશ્ચિમ બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં 90 ટકાથી વધારે મતદાન

કોલકાતા, 29 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની બીજા તબક્કાની 142 બેઠકો પર આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે પ્રથમ ચાર કલાકમાં જ અંદાજે 40 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. બીજા તબક્કાની આ […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

કોલકાતા, 11 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં 3-3 રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 4 જંગી સભાઓ ગજવશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી […]

બંગાળમાં SIRનો ખોફ: મતદાર યાદી સુધારણાના ડરથી 107 લોકોના મોતનો દાવો

કોલકાતા, 5 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એટલે કે મતદાર યાદીની ખાસ ચકાસણીના ડર અને ગભરાટને કારણે અત્યાર સુધીમાં 107 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીએમસી સરકારે આ પ્રક્રિયાને એનઆરસી (એનઆરસી) લાવવાનો […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code