Site icon Revoi.in

કેમિકલ-ફ્રી પ્રોડક્ટના માર્કેટમાં 7 ગણો વધારો થયો છેઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા. મિઝોરમનાં આઇઝોલનાં શુયા રાલ્ટે, જેઓ વર્ષ 2017થી ઓર્ગેનિક ખેડૂત છે, તેમણે પ્રધાનમંત્રીને આદુ, મિઝો મરચાં અને અન્ય શાકભાજીનાં ઉત્પાદન વિશે જાણકારી આપી હતી તથા જણાવ્યું હતું કે, તેઓ નવી દિલ્હી સુધી સ્થિત કંપનીઓને તેમનાં ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે, જેથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રૂ. 20,000થી વધીને રૂ. 1,50,000 થઈ છે.

પોતાની પેદાશો બજારમાં વેચવા અંગે પ્રધાનમંત્રીની પૂછપરછ પર રાલ્ટેએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રમાં મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ હેઠળ એક બજાર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તેમની પેદાશોનું વેચાણ કરી શકે છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, દેશમાં ઘણાં ખેડૂતો જૈવિક ખેતી તરફ આગેકૂચ કરી રહ્યાં છે અને ખેડૂત રાલ્ટે પૂર્વોત્તરનાં દૂર-સુદૂરનાં વિસ્તારોમાંથી આ દિશામાં અગ્રેસર છે.

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જૈવિક ખેતી એ લોકો અને જમીન એમ બંનેનાં સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષમાં જાણકારી આપી હતી કે, રાસાયણિક-મુક્ત ઉત્પાદનનાં બજારમાં 7 ગણો વધારો થયો છે, જે ખેડૂતોની આવકમાં વધારો કરવા તરફ દોરી ગયું છે અને સાથે-સાથે ઉપભોક્તાઓ માટે સ્વાસ્થ્ય પણ વધારે છે. તેમણે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનો આભાર માન્યો હતો અને તેમને પણ તેમાં જોડાવા વિનંતી કરી હતી.