Site icon Revoi.in

મનરેગાનું નામ બદલાશે, વિકસિત ભારત-જી રામજી યોજના કરાશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA/મનરેગા)ના સ્થાને ‘વિકસિત ભારત-જી રામ જી યોજના (VB-G RAM G)’ લઈને આવી રહી છે. આ માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરશે. આ બિલ હેઠળ હવે દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસને બદલે 125 દિવસના મજૂરી રોજગારની કાયદેસર ગેરંટી મળશે. જોકે, બિલ રજૂ થવા દરમિયાન સંસદમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. મનરેગા અધિનિયમ યુપીએ સરકાર દ્વારા 2005માં ભારતીય સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેનું મૂળ નામ ત્યારે NREGA હતું, જેને 2009માં મહાત્મા ગાંધીના નામ પર MGNREGA કરવામાં આવ્યું હતું.

આ બિલનો હેતુ “વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય વિઝન સાથે જોડાયેલું એક ગ્રામીણ વિકાસ માળખું” બનાવવાનો છે, જેના હેઠળ દરેક ગ્રામીણ પરિવારના પુખ્ત સભ્યો બિન-કુશળ મેન્યુઅલ કામ કરવા માટે તૈયાર હોય. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બિલ વિશે જણાવતા કહ્યું કે, MGNREGAએ છેલ્લા 20 વર્ષમાં ગ્રામીણ પરિવારોને ગેરંટીવાળી મજૂરીનો રોજગાર આપ્યો છે. જોકે, તેમણે કહ્યું હતું કે, “સામાજિક સુરક્ષાના પગલાંની વ્યાપક કવરેજ અને મુખ્ય સરકારી યોજનાઓના સેચ્યુરેશન ઓરિએન્ટેડ અમલથી ગ્રામીણ વિસ્તારોમાં થયેલા મહત્વપૂર્ણ સામાજિક-આર્થિક ફેરફારોને ધ્યાનમાં રાખીને, તેમાં વધુ મજબૂતી લાવવી જરૂરી બની ગઈ છે.”

મંત્રીએ જણાવ્યું કે, જ્યાં MGNREGAનું ફોકસ આજીવિકા સુરક્ષા વધારવાના લક્ષ્ય પર હતું, ત્યાં નવું બિલ સમૃદ્ધ અને મજબૂત ગ્રામીણ ભારત માટે સશક્તિકરણ, વિકાસ, તાલમેલ અને સેચ્યુરેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. તે જાહેર કાર્યો દ્વારા સશક્તિકરણ, વિકાસ, તાલમેલ અને સેચ્યુરેશન પર ભાર મૂકે છે, જે મળીને વિકસિત ભારત નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક બનાવે છે.

Exit mobile version