- યુક્રેનથી વિતેલી રાતે ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા
- 240 જેટલા વિદ્યાર્થીઓનું દિલ્હી એરપોર્ટ પર આગમન
- એરપોર્ટ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું
દિલ્હીઃ-રશિયા અને યુ્કેન વચ્ચેની તણાવની સ્થિતિ વકરતા ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનું અભિયાન શરું કર્યું છે જે અંતર્ગત લગભગ 240 મુસાફરોને લઈને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ મંગળવારે લગભગ 11.30 વાગ્યે યુક્રેનથી દિલ્હી પહોંચી હતી.
આ ફ્લાઇટના તમામ યાત્રીઓ અભ્યાસ અને કામ માટે યુક્રેનમાં હતા. જ્યારે વિમાન ટર્મિનલ 3 પર ઉતર્યું ત્યારે ભારતીય અધિકારીઓએ મુસાફરોનું સ્વાગત કર્યું હતું. મુસાફરોએ એરપોર્ટ પર આગમનની સાથે સાથે જ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાનું બોઈંગ 787 વિમાન સાંજે 6 વાગ્યે યુક્રેનની રાજધાની કિવથી રવાના થયું હતું. આજે સવારે દિલ્હીથી માટે રવાના થયું હતુ. રશિયા સાથે વધતા તણાવ વચ્ચે હજારો ભારતીયો યુક્રેનથી વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. મુસાફરોએ કહ્યું કે તેઓ દિલ્હી આવ્યા હાશકારો અનુભવ્યો હતો,યુક્રેનથી નિકળીને તેઓ ખૂબ સુરક્ષિત અનુભવી રહ્યા છે