Site icon Revoi.in

દેશમાં ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાના એક લાખથી વધુ એક્ટિવ કેસ

Social Share

નવી દિલ્હીઃ ગુરાત સહિત દેશભરમાં એક દિવસમાં કોરોનાના સાડા ત્રણ લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં અત્યાર સુધી એક દિવસમાં આટલા કેસ ક્યાંય નોંધાયા નથી. સરકાર કોરોના સંકટનો સામનો કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેષ, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

સંયુક્ત સચિવ (સ્વાસ્થ્ય મંત્રાલય) લવ અગ્રવાલે જણાવ્યુ હતું, કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. દેશમાં 82 ટકા કોરોના દર્દીઓ સાજા થઈ ગયા છે. આશરે 16.25 ટકા કેસ એટલે કે 28,13,658 કેસ એક્ટિવ છે. કેટલાક રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધુ છે. જેમાં મહારાષ્ટ્ર, યૂપી, કર્ણાટક, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી વેક્સિનના 14,19,00,000 ડોઝ આપવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયમાં અધિક સચિવે જણાવ્યું કે, ભારત ખરીદી અને ભાડા બન્ને આધાર પર વિદેશોથી ઓક્સિજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સિજન ટેન્કરોનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ-ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા, અમે ઓક્સિજન ટેન્કરોની અવર-જવર પર નજર રાખી રહ્યાં છીએ.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ હતું કે, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે.