Site icon Revoi.in

માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે,સવારે ઉઠતાની સાથે જ ન કરો આ ભૂલો

Social Share

એવું માનવામાં આવે છે કે,જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો રહે છે.પરંતુ બીજી તરફ જો દિવસની શરૂઆતમાં જ આવા કેટલાક કામ કરવામાં આવે તો દિવસ ખરાબ થઈ જાય છે અને સાથે જ ધનની દેવી દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. ધનની દેવી માતા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી નથી.વાસ્તુશાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલી આ ભૂલો માતાને નારાજ કરી શકે છે.તો ચાલો જાણીએ તેમના વિશે…

જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરમાં ઝઘડો, લડાઈ,કલેશ થાય છે, તો મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. મા લક્ષ્મી એવા ઘરમાં બિલકુલ રહેતી નથી જ્યાં પરિવારમાં કલેશ અને અશાંતિ હોય.તેથી, સવારે ઉઠ્યા પછી, તમારા વિચારો પર નિયંત્રણ રાખો અને તમારા મનને શાંત રાખો.

જો તમે સવારે ઉઠ્યા પછી ઘરની સફાઈ ન કરો તો પણ મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર દિશાની સ્વચ્છતા રાખો. કારણ કે ઉત્તર દિશાના સ્વામી ભગવાન કુબેર અને માતા લક્ષ્મી છે, તેથી જો તમે ઉત્તર દિશાને સ્વચ્છ ન રાખો તો બંને તમારાથી નારાજ થઈ શકે છે.તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

રાત્રે સૂતા પહેલા વાસણો છોડીને ક્યારેય સૂવું નહીં. માતા લક્ષ્મી આનાથી પણ વધારે તમારાથી નારાજ થઈ શકે છે. માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને હેઠા વાસણો જુએ તો સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.રાત્રે હેઠા વાસણો રાખવાથી પણ ઘરના આશીર્વાદ પર અસર પડે છે.એટલા માટે રાત્રે સૂતા પહેલા બધા વાસણો સાફ કરીને સુવો.

જો તમે સવારે ગાય જુઓ તો તેનું અપમાન ન કરો.સવારે ગાયને જોવી એ દેવી લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે.જો સવારે તમારા દરવાજે ગાય આવે તો તેનો પીછો ન કરો. માતા લક્ષ્મી આનાથી પણ વધારે તમારાથી નારાજ થઈ શકે છે.આ સાથે, તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

Exit mobile version