Site icon Revoi.in

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી,ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા 

Social Share

દિલ્હી:સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી.તેથી, તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે.મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.

મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહની તબિયત ઘણા સમયથી ખરાબ છે.

પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ અખિલેશ યાદવ લખનઉથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. બીજો પુત્ર પ્રતીક યાદવ અને નાનો ભાઈ શિવપાલ સિંહ યાદવ પહેલેથી જ દિલ્હીમાં હાજર છે.