Site icon Revoi.in

મુસ્લિમ મહિલાને પણ છુટાછેડા બાદ ભરણપોષણનો અધિકારીઃ હાઈકોર્ટ

Social Share

લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મુસ્લિમ મહિલાઓની તરફેણમાં મહત્વનો આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને પણ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ તેમના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. તેઓ ઇદ્દતના સમયગાળા પછી પણ તે મેળવી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી મહિલા ફરીથી લગ્ન ના કરે ત્યાં સુધી ભરણપોષણ મેળવી શકે છે.

ન્યાયમૂર્તિ કરુણેશ સિંહ પવારની સિંગ્લ બેંચે રઝિયાની ક્રિમિનલ રિવિઝન પિટિશન પર આ આદેશ કર્યો હતો. વર્ષ 2008માં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં પ્રતાપગઢની સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ લાગુ થયા બાદ અરજદાર અને તેના પતિનો કેસ આ કાયદાને આધીન રહેશે.

સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, આ કાયદાની કલમ 3 અને 4 હેઠળ, મુસ્લિમ છૂટાછેડા લીધેલી પત્ની ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 આવા કેસમાં લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુસ્લિમ છૂટાછેડા લીધેલી મહિલા કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવાની હકદાર છે. જ્યાં સુધી તેણી ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી.