Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ બોટિંગ કરી શકે તે માટે સરોવરમાં નર્મદાના નીર ઠલવાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોની હાલત સૌથી કફોડી બની છે. ખેડુતો સિંચાઈનું પાણી આપવાની માગ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પીવાના પાણીને અગ્રતા આપીને સિંચાઈનું પાણી આપવાની ના પાડી દીધી હતી. તમામ જળાશયોમાં પીવાના પાણી માટેનો જથ્થો રિઝર્વ રાખવાની સુચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે બીજીબાજુ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક નર્મદા નદીમાં પ્રવાસીઓના બોટિંગ માટે પાણી છોડવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદી નદી છલોછલ બની ગઈ છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા પ્રવાસન ધામો ખુલ્લા મુકવામાં આવ્યા છે,  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયાના અન્ય સ્થળો પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષણ કરી રહ્યા હોય કેવડિયા ખાતે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. એમ કહી શકાય કે રજાઓમાં એક દિવસમાં 30 થી 35 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે મોટી માત્રામાં કેવડિયા આવતા પ્રવાસીઓ ને બોટીંગની સુવિધાઓ પુરી પાડવા નર્મદા નદીમાં પાણી છોડવું જરૂરી હોય નર્મદા બંધન બે મહિનાથી બંધ રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી હાલ હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાથી નર્મદા ડેમ થી વિયરડેમ સુધીનું 12 કિમિ નું સરોવર ભરવામાં આવી રહ્યું છે. આ સરોવર ભરાતા હવે બોટિંગ સુવિધા શરૂ થઇ ગઈ છે.

નર્મદા નદીના ગોરા કિનારે એક સુંદર ઘાટ બની રહ્યો છે ત્યારે આ નર્મદા ઘાટનું કામ ચાલતું હતું એ માટે નર્મદા નદી ખાલી કરવામાં આવી હતી જેથી રિવરબેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવ્યા હતા હવે આ નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયા બાદ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો જળ માર્ગ શરૂ કરી ક્રુઝ બોટ સેવા શરૂ કરવામાં આવી છે સાથે નર્મદા ઘાટ પર આરતીનું પણ રિહર્સલ પણ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નદીના મુખ્ય પ્રવાહ ને શરૂ કરવા અને વિયરડેમ નો 12 કિમિ સરોવર ભરવા માટે રિવર બેડ પાવર હાઉસને 26 તારીખે ચલાવવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 12 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નદીના મુખ્ય વહેણમાં પાણીની સપાટી વધતા 12 કિલોમીટરનો વિયર ડેમ વિસ્તાર જળ રાશિથી ભરાઈ ગયો છે. હાલ પાણીનો સંગ્રહ જરૂરી છે કેમકે આગામી સમયમાં સારો વરસાદ ન પડ્યો તો જળસંકટ માથે છે છતાં વિયરડેમ ભરવાના નિર્ણયથી આધિકારીઓ પણ અચંબામાં મુકાયા છે.