Site icon Revoi.in

તમામ અટકળોનો અંત! કેપ્ટન અમરિંદર સિંહની ઘોષણા, ભાજપ અને ઢીંડસાની પાર્ટી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે

Social Share

નવી દિલ્હી: અંતે ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી વચ્ચેના જોડાણની દરેક અટકળોનો અંત આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે એલાન કર્યું છે કે, તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી તેમજ ઢીંડસાની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. અમરિંદર સિંહે હાલમાં રાજ્યના સીએમ પદેથી રાજીનામું આપીને પાર્ટીમાંથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને બાદમાં નવી પાર્ટી સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની યોજના અંગે ઘોષણા કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાહ હવે ખુદ આજે કેપ્ટન અમરિંદર સિંહે પણ ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે તેવી સ્પષ્ટતા કરી દીધી છે. જ્યાં સુધી સુખદેવ ઢીંકસાની વાત છે તો તેમણે પોતાના પત્તા હજું સુધી નથી ખુલ્યા. અહીંયા નવાઇ પમાડે તેવી વાત એ છે કે અમરિંદર સિંહ છેલ્લા 25 વર્ષથી ભાજપની ટિકા કરતા હતા અને અંતે તેની સાથે જ જોડાણની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે,  કોંગ્રેસની વિરુદ્ધ કેપ્ટન હવે ભાજપની સાથે ખભેથી ખભો મેળવીને ભાજપની વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે.