Site icon Revoi.in

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડૂતો પર આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો ફરીથી આંદોલન પર છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની તુલના મવાલી સાથે કરી છે. તે પણ કહ્યું છે કે, આ પ્રકારે પ્રદર્શન કરવું એ અપરાધિક છે. વિપક્ષ આવી વસ્તુને ટેકો આપી રહ્યું છે.

મીનાક્ષીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, તે કિસાન નહીં મવાલી છે. તે પણ ધ્યાનમાં લેવું જોઇએ. આ આપરાધિક ગતિવિધિઓ છે. 26 જાન્યુઆરીએ જે કંઇ પણ થયું તે શરમજનક હતું. તે આપરાધિક ગતિવિધિઓ હતી. તેમાં વિપક્ષ તરફથી આ વસ્તુને ટેકો અપાયો છે.

પેગાસસ જાસૂસીને લઇને સંસદમાં થયેલા હંગામા પર ભાજપે કરેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, સૌથી પહેલા તેને ખેડૂતો કહેવાનું બંધ કરો, કારણ કે તે કિસાન નથી. તે ષડયંત્રકારી લોકોના હાથે બનેલા લોકો છે. જે સતત ખેડૂતોના નામ પર આ હરકતો કરી રહ્યાં છે. ખેડૂતો પાસે સમય નથી. જંતર-મંતર પર આવીને બેસે. તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે 200 કિસાનોના એક સમૂહે ગુરૂવારે મધ્ય દિલ્હીના જંતર-મંતર પર પહોંચ્યો. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે 9 ઓગસ્ટ સુધી સંસદ પરિવરથી કેટલાક કિલોમીટર દૂર જંતર-મંતર પર વધુમાં વધુ 200 કિસાનોને પ્રદર્શનની વિશેષ મંજૂરી આપી છે.