મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં બોલિવુડ પોતાની ફિલ્મોની જગ્યાએ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્ક ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તાજેતરમાં બોલિવુડમાં કિંગખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સના આરોપસર અટકાયત કરી છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સનો એંગ્લ સામે આવ્યો હતો. દરમિયાન એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ માત્ર કામ કરી રહી છે અને એમાં કેટલાક જાણીતા વ્યક્તિઓ પણ પકડાય છે. નિયમ તમામ લોકો માટે સમાન હોય છે તો શું અમે સેલિબ્રીટીઝને જવા દઈએ, જે કાનૂનનું પાલન નહીં કરે તેને છોડવામાં નહીં આવે, તેઓ સેલિબ્રીટીઝ હોય તો કાનૂન તોડવાનો અધિકાર મળે છે, અમે માત્ર ડ્રગ પેડલર્સને પકડીએ અને માત્ર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડીએ એવુ ના બની શકે.
આર્યન ખાન અને સુશાંતસિંહ રાજપુતના કેસથી ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, હું માનું છે કે આ કેસ ચર્ચાસ્પદ છે, પરંતુ સુશાંતનો કેસ નંબર 16 પછી આ કેસ નંબર 105 છે, આ વચ્ચે અનેક કેસ નોંધાયાં છે, જો કે, લોકો અન્ય કેસ અંગે કંઈ બોલતા નથી કારણે તેઓ મશહુર નથી. અમે લોકોએ ડ્રગ્સના 12 જેટલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પરંતુ આ અંગે કોઈ વાત નથી કરતું.