Site icon Revoi.in

કેળા જ નહી કેળાનું ફૂલ પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો તેના સેવનથી થતા ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે કેળા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર કેળા જ નહી કેળાનું ફૂલ પણ આરોગ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે,ભારતના કેટલાક વિસ્તારોમાં કેળાના ફૂલનું શાક પણ ખાવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે.

કેળાના ફૂલ તેના ફળ જેટલું જ ફાયદાકારક છે. કેળાના ફૂલના ફાયદાઘણા બધા છે.કારણ કે આ ફૂલમનાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં સમાયેલા હોય છે. તો ચાલો જોઈએ કેળાના ફૂલના ફાયદાઓ.

કેળાના ફૂલથી આરોગ્યને થાય છે ઘણા ફાયદાઓ

કેળાનું ફૂલ પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે કેળાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનું સેવન કરવાથી તમે પેટનો દુખાવો, ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છો.

ખાસ કરીને તે પેટના દુખાવામાં પણ તે ઉપયોગી થઈ શકે છે. આ સિવાય તેના નિયમિત ઉપયોગથી પીરિયડ્સ દરમિયાન વધુ પડતા બ્લીડિંગની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.સાથે જ દહીં સાથે કેળાના ફૂલનું સેવન કરવાથી શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન વધે છે અને રક્તસ્ત્રાવ ઓછો થાય છે.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેળાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. કેળાનું ફૂલ શરીરમાં આયર્નની ઉણપ નથી થવા દેતું અને લોહીની ઉણપને ભરવામાં મદદરૂપ છે.
જ્યાં કેળાનું ફૂલ તમારું પાચન સુધારી શકે છે. તે જ સમયે, તે તમારા મૂડને પણ સુધારી શકે છે.

આ સાથે, તે સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે દૂધનો સ્ત્રાવ વધારે છે.મેગ્નેશિયમથી ભરપૂર કેળાનું ફૂલ તમારા મૂડ માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. તે તમારા મૂડને સુધારવામાં મદદરૂપ છે. તે કુદરતી એન્ટીડિપ્રેસન્ટ તરીકે પણ કામ કરે છે.