Site icon Revoi.in

ઓડિશાઃ બાલાસોર દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેનોની અવરજવર શરૂ,રેલવે મંત્રીએ CBI તપાસની ભલામણ કરી

Social Share

ભુવનેશ્વર : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી. અને સંકેત આપ્યો કે, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં સંભવિત તોડફોડ અને છેડછાડ હોય શકે છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વૈષ્ણવે મોડી રાત્રે જણાવ્યું હતું કે બંને ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 51 કલાકમાં ટ્રેનની અવરજવર સામાન્ય થઈ ગઈ છે. હવેથી ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે.

ભયાનક અકસ્માતના 51 કલાક પછી, રવિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે ઓડિશાના બાલાસોરમાં અકસ્માતગ્રસ્ત વિભાગમાંથી પ્રથમ ટ્રેન રવાના થઈ. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માલસામાન ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન ઘણા મીડિયાકર્મીઓ અને રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. કોલસા વહન કરતી માલસામાન ટ્રેન વિશાખાપટ્ટનમ બંદરે રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ માટે તે જ ટ્રેક પર રવાના થઈ હતી જ્યાં શુક્રવારે ટ્રેન પાટા પરથી ઉતરી હતી.

આ પછી વધુ બે ગાડીઓને બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન વૈષ્ણવ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે દરેક મુસાફરને ઘરે લઈ જવાની જવાબદારી અમારી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે, “ક્ષતિગ્રસ્ત ડાઉન લાઇન સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પ્રથમ ટ્રેન વિભાગમાંથી નીકળી હતી.” ડાઉન લાઇન પૂર્વવત થયાના લગભગ બે કલાક બાદ અપ લાઇન પણ પૂર્વવત થઇ હતી. અકસ્માતગ્રસ્ત વિભાગની અપ લાઇન પર દોડનારી પ્રથમ ટ્રેન ખાલી માલગાડી હતી.