Site icon Revoi.in

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વધુ વણસી,અત્યાર સુધીમાં 1,290 લોકોના મોત : WHO

Social Share

દિલ્હી:પાકિસ્તાનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 1,290 લોકો માર્યા ગયા છે, જયારે 12 હજાર પાંચસો ઘાયલ થયા છે અને છ લાખથી વધુ લોકો બેઘર થયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

WHOએ કહ્યું કે 1,290 થી વધુ લોકો માર્યા ગયા અને 12,500 ઘાયલ થયા અને 30 કરોડ 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા, જેમાંથી 60 લાખ 40 હજાર લોકોને માનવતાવાદી સહાયની જરૂર છે. લગભગ છ લાખ 34 હજાર બેઘર લોકો કેમ્પમાં રહે છે.

સંસ્થાએ કહ્યું કે 1,460 થી વધુ આરોગ્ય સુવિધાઓ પ્રભાવિત છે, જેમાંથી 432 સંપૂર્ણ નાશ પામી છે અને 1,028 આંશિક રીતે નુકસાન પામી છે. આરોગ્ય સંભાળ સુવિધાઓ અને આવશ્યક તબીબી પુરવઠાની ઍક્સેસ તદ્દન મર્યાદિત છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 29 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે,ઓછામાં ઓછા 1,061 લોકો માર્યા ગયા હતા અને 1,500 થી વધુ ઘાયલ થયા હતા.

 

Exit mobile version