Site icon Revoi.in

ટીમ ઈન્ડિયા, સુર્યાકુમાર યાદવ અને કોહલીને લઈને પાકિસ્તાની બોલિંગ કોચે કરી ટ્વીટ

Social Share

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12માં ટીમ ઈન્ડિયાએ ચાર મેચમાં જીતીને પોતાના ગ્રુપમાં ટોપ રહી હતી. આ ચાર મેચમાં ટીમના અન્ય ખેલાડીઓની સરખામણીએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવ અને વિરાટ કોહલીએ વધારે રન ફટકાર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના બોલિંગ કોચ ટ્વીટ કરીને વિરાટ અને સુર્યાકુમાર સિવાયની ટીમ ઈન્ડિયાની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં સુપર 12નો તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે સેમીફાઈનલની રેસ શરૂ થઈ ગઈ છે. ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે પરંતુ હજુ પણ કોચ અને ટીમનું ગૌરવ દેખાતું નથી.

સેમીફાઈનલમાં પાકિસ્તાનના પ્રવેશ બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પાકિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટનો ઉત્સાહ ઘણો વધારે છે અને તેમને પોતાની ટીમમાં પણ ઘણો વિશ્વાસ છે. તેમણે હાલમાં જ કેટલીક ટ્વિટ કરી છે અને ભારત-પાકિસ્તાનની ટીમની સરખામણી પણ કરી છે. ટાઈટે ટ્વીટમાં લખ્યું છે કે ‘જો કોઈ ભારતીય ટીમને પાકિસ્તાન કરતા વધુ સારી બનાવે છે તો તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ છે. આ બંને ખેલાડીઓને બહાર કાઢો અને જુઓ તો ભારતનો બેટિંગ ઓર્ડર પણ પાકિસ્તાન જેવો જ છે.