Site icon Revoi.in

પરિક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીનો ગુરુ મંત્ર, ટીકા કરનારાઓ પર ધ્યાન ન આપો

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની શરૂઆત પર કહ્યું કે આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પણ મારી પણ છે. બાળકો સાથે વાત કરતી વખતે મને પણ ભણવાનો મોકો મળે છે, કેટલીક નવી માહિતી પણ મળે છે. રાષ્ટ્રીય રાજધાનીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, મને આ પરીક્ષા આપવામાં ખૂબ આનંદ થાય છે. તેણે કહ્યું કે, મને સૌથી વધુ રસ છે કે આજના યુવાનો શું વિચારે છે.

વડાપ્રધાન વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ટીકાકારો પર ધ્યાન ન આપો…આપણે પોતાના ફોક્સને ક્યારે છોડવુ જોઈએ નહીં. હું વાલીઓને પણ વિનંતી કરું છું કે તમે તમારા બાળકોને ટોકીને ‘મોલ્ડ’ ન કરી શકો.

એકવાર તમે એ હકીકત સ્વીકારી લો કે મારી પાસે એક ક્ષમતા છે અને હવે મારે તેના અનુસાર વસ્તુઓ કરવાની છે. જે દિવસે તમે તમારી ક્ષમતાને જાણશો, તે સમયે એક સામર્થ્યવાન બની જશો.

પહેલા કામને સમજો… આપણે જે વસ્તુની જરૂર છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. જો મારે કંઈક હાંસલ કરવું હોય, તો મારે ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે… તો જ પરિણામ આવશે. આપણે ‘સ્માર્ટલી હાર્ડવર્ક’ કરવું જોઈએ તો જ સારા પરિણામ મળશે.

મહેનતથી ચોક્કસપણે સારુ પરિણામ મળે છે. શક્ય છે કે કોઈ તમારા કરતા કોપી કરીને બે ચાર માર્કસ વધારે લે, પણ તે તમારા જીવનમાં ક્યારેય અડચણ નહીં બની શકે. તમારી આંતરિક શક્તિ જ તમને આગળ લઈ જશે. વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે હવે જીવન અને દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. આજે તમારે દરેક રસ્તે પરીક્ષા આપવાની છે… એટલે જ છેતરનાર એક-બે પરીક્ષા પાસ કરશે પણ જિંદગી ક્યારેય પાસ નહીં કરી શકે.

માત્ર પરીક્ષાઓ માટે જ નહીં, આપણે આપણા જીવનના દરેક તબક્કે ટાઈમ મેનેજમેન્ટ વિશે જાગૃત રહેવું જોઈએ. તમે એવો સ્લેબ બનાવો કે પહેલા તમને જે વિષય ઓછો ગમતો હોય તેને સમય આપો, પછી તમને જે વિષય પસંદ હોય તેને સમય આપો.

તમે સારું કરશો તો પણ બધાને તમારી પાસેથી નવી અપેક્ષાઓ હશે. ચારે બાજુથી દબાણ છે, પરંતુ આપણે શું આ દબાણને વશ થઈ જવું જોઈએ? તેવી જ રીતે, જો તમે પણ તમારી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે પણ આવા સંકટમાંથી બહાર આવી શકશો. ક્યારેય દબાણના દબાણમાં ન રહો.

38 લાખ વિદ્યાર્થીઓએ ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેવા માટે નોંધણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીતનો આ વાર્ષિક કાર્યક્રમ પરીક્ષાના તણાવના મુદ્દા સાથે સંબંધિત છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી.