Site icon Revoi.in

સુરતમાં ડાયમન્ડ બુર્સના લોકાર્પણ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈસ શરૂ કરાશે, પાટિલનું આશ્વાસન

Social Share

સુરત: શહેરમાં એર ટ્રાફિકમાં વધારો થતો જાય છે. તેના લીધે ખાનગી એર કંપનીઓ દ્વારા નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોરની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે.ત્યારબાદ વિદેશી પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈને  ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ સુરત એરપોર્ટથી શરૂ કરવામાં આવશે અને એટલા માટે જ એરપોર્ટના એક્સપાન્શનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ડાયમંડ બુર્સ સુરતને વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટ અપાવશે.

સુરતથી દિલ્હી, બેંગલોર અને કોલકાતાની એર એશિયા દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. સુરત શહેર ખૂબ ઝડપથી વિકાસ કરતું શહેર છે. કોરોના પહેલા સુરત એરપોર્ટ પર 54 ફ્લાઈટ આવતી હતી. કોરોના મહામારી પછી કેટલીક એરલાઇન્સ બંધ થઈ ગઈ હતી અને ફ્લાઈટ્સ ઘટી હતી, હવે સ્થિતિ રાબેતા મુજબ બન્યા બાદ એર ટ્રાફિકમાં જબરો વધારો થયો છે. હાલ સુરત એરપોર્ટ પરથી દર મહિને સરેરાશ એક લાખ લોકો મુસાફરી કરે છે

ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ત્રણ ફલાઈટનો વધારો થવાથી લોકોની અનુકૂળતા વધશે. ભવિષ્યમાં પણ એર એશિયાએ વધુ ફ્લાઇટ્સ આપવા માટે જણાવ્યું છે. મને વિશ્વાસ છે કે સુરત શહેરની આ ફ્લાઈટના કારણે સુખાકારી વધશે અને તેમના બિઝનેસમાં વધારો થશે. આવનારી એરલાઇન્સને પણ ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, એક સમયે સુરત એરપોર્ટ એક ફ્લાઇટ આવતી હતી. ત્યાર બાદ 54 ફ્લાઈટ્સ રોજની આવતી થઈ હતી. આવનારા સમયમાં 72થી વધુ ફલાઈટ્સ સુરતથી શરૂ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની વાત પણ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, સુરત એરપોર્ટ પર ટર્મિનલ પણ મોટા બનાવવામાં આવી રહ્યા છે અને બે મહિનામાં આ કામ પણ પૂરું થઈ જશે, તેવું પણ સી.આર. પાટીલે જણાવ્યું હતું