Site icon Revoi.in

નવરાત્રિના 9 દિવસ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન,વ્રતમાં રહેશો એનર્જીથી ભરપૂર

Social Share

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દિવસોમાં માના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના આશીર્વાદ મેળવવા માટે ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોવ તો આખા નવ દિવસ તમારા આહારનું ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમને ઉપવાસ દરમિયાન નબળાઈ ન લાગે. આ દરમિયાન, સ્વસ્થ વસ્તુઓ ખાઓ જે તમને ઊર્જાવાન રાખે.તો આવો અમે તમને જણાવીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું.

ડ્રાય ફ્રુટ્સ અને નટ્સ

જો તમે વ્રત દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો છો તો તમે નબળાઈ અનુભવશો નહીં. તમારા આહારમાં કાજુ, કિસમિસ, પિસ્તા અને બદામ જેવા ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરો.

દહીં અને ડેરી ઉત્પાદનો

દહીં પેટ માટે ખૂબ જ હેલ્ધી છે. દહીંમાં મીઠી લસ્સી અથવા રોક મીઠું અને શેકેલું જીરું ઉમેરીને છાશ બનાવી શકાય છે. તેનાથી શરીરને એનર્જી મળશે. ખોરાકમાં દૂધ, ચીઝ અને બટર જેવી વસ્તુઓ લો.

ફળો-શાકભાજી

ઉપવાસ દરમિયાન ફળો ખાવા જોઈએ. આનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો. શરીરને ડીહાઈડ્રોજનેશનથી બચાવવા માટે લીંબુ પાણી પીવો. કાકડી અને ગાજર જેવી વસ્તુઓ પણ ખાઈ શકાય છે.

નાળિયેર

નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહેશે અને શરીરને એનર્જી મળશે. તમે ઈચ્છો તો કાચું નારિયેળ પણ ખાઈ શકો છો.

ઉપવાસ દરમિયાન આ વસ્તુઓથી રાખો અંતર

અનાજ

વ્રતમાં ઘઉં, લોટ, ચોખા, સોજી, ચણાનો લોટ, મકાઈનો લોટ, રાગી, બાજરીના લોટ સહિત આ તમામ વસ્તુઓનું સેવન પ્રતિબંધિત છે.

ડુંગળી અને લસણ

નવરાત્રિના નવ દિવસ દરમિયાન લસણ અને ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેને ઉપવાસ દરમિયાન ખાવામાં આવતું નથી.

સફેદ મીઠું

સફેદને બદલે રોક સોલ્ટનો ઉપયોગ કરો. ઉપવાસ દરમિયાન માત્ર રોક મીઠું ખાવું યોગ્ય છે. તેમાં સોડિયમ ઓછું હોય છે અને તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.