Site icon Revoi.in

કોરોના સંકટ અંગે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન વચ્ચે ફોન પર થઈ વાતચીત

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારે રાત્રે 10 વાગ્યે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જોબાઈયડન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ભારત અને અમેરિકામાં ઉત્પન્ન થયેલા કોરોના સંકટ અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે.

આ બન્ને નેતાઓની વાતચીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ બાઈડન સાથે ઉપયોગી ચર્ચા થઈ હતી. અમે બંને દેશોમાં ઉદ્ભવતા કોરોના કટોકટીની વિગતવાર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન, અમે વેક્સિન માટે કાચા માલ અને દવાઓની સપ્લાય અંગે ગંભીરતા વાતચીત કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ આ સંકટની સ્થિતિમાં વાત કરવા માટે બાઈડનનો આભાર વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું કે, કોવૈક્સ અને ક્વાડ વેક્સિન ઈનિશિએટિવના માધ્યમથી ભારત અન્ય દેશોને પણ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવી રહ્યું છે, વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને નેતાઓ કોરોના સંકટને પહોંચી વળવા માટે સતત એકબીજાના સંપર્કમાં રહેશે.

પીએમ મોદીએ યુએસ રાષ્ટ્રપતિ બાઈડનને પણ વિકાસશીલ દેશો માટે રસીઓ અને દવાઓની ઝડપી અને પોસાય તેવી સુલભતા સુનિશ્ચિત કરવા ટ્રિપ્સ સમજૂતીના માપદંડમાં છૂટ માટે ડબ્લ્યુટીઓ માં ભારતની પહેલ વિશે માહિતગાર કર્યા.

આ પહેલા રવિવારે, એનએસએ અજિત ડોભાલે અમેરિકાના એનએસએ જેક સુલિવન સાથે વાત કરી હતી. જે બાદ અમેરિકાએ ભારતને રસી માટે કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સંમતિ આપી હતી અને વહેલી તકે તેને ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બંને દેશોની 70 વર્ષથી વધુની સ્વાસ્થ્ય ભાગીદારી છે. જે અંતર્ગત, પોલિયો અભિયાન, એચઆઈવી, સ્મોલ પોક્સ સામે લડાઈ લડવામાં આવી હતી. હવે બંને દેશો વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે એક સાથે લડવાનું ચાલુ રાખશે. કોરોના મહામારીની શરૂઆતમાં, ભારતે અમેરિકાની હોસ્પિટલોમાં મદદ મોકલી હતી, હવે યુનાઇટેડ સ્ટેટ્સ પણ ભારતની મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરવાનો નિર્ણય બતાવે છે.

સાહિન-