Site icon Revoi.in

તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

Social Share

નવી દિલ્હીઃ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા રેવંત રેડ્ડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસ માટે તમામ પ્રકારની સહાયનું આશ્વાસન આપ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું કે, તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર રેવંત રેડ્ડીને અભિનંદન. હું રાજ્યના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપું છું.

રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના ત્રીજા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રેવંત રેડ્ડી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ લેવડાવ્યા હતા.

રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, એસ. દુદિલ્લા શ્રીધર બાબુ, પોંગુલેબ શ્રીનિવાસ રેડ્ડી, પોનમ પ્રભાકર, સોટ. કોંડા સુરેખા, ડી. અનસૂયા સીથાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, કૃષ્ણા રાવ અને ગદ્દમ પ્રસાદ કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા જેવા મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, સીપીઆઈના મહાસચિવ ડી. રાજાએ પણ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો.

Exit mobile version