Site icon Revoi.in

પીએમ મોદીએ ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી,આ મુદ્દાઓ પર ચર્ચા કરી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પીએમ ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી છે. સુનકને વડાપ્રધાન બનવા બદલ નરેન્દ્ર મોદી વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભારત-યુકે સંબંધો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીત વિશે ટ્વિટ કર્યું છે. સુનક તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં કહ્યું;”આજે @RishiSunak સાથે વાત કરીને આનંદ થયો. UK PM તરીકે કાર્યભાર સંભાળવા બદલ તેમને અભિનંદન. અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત FTAના વહેલા નિષ્કર્ષના મહત્વ પર પણ સંમત થયા છીએ.”

પીએમના આ ટ્વીટ પર ઋષિ સુનકની પ્રતિક્રિયા પણ આવી હતી.તેમણે અભિનંદન માટે મોદીનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશ સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છે. સુનકે કહ્યું કે પીએમ મોદીની શુભકામનાઓ માટે આભાર. બ્રિટન અને ભારત એકબીજા સાથે કેટલી વસ્તુઓ શેર કરે છે? હું એ વિચારીને ખૂબ જ ઉત્સાહિત છું કે આપણે બે મહાન લોકશાહી દેશો આગામી મહિનાઓ અને વર્ષોમાં સંરક્ષણ, આર્થિક ક્ષેત્રમાં કેટલું કરી શકીશું.

 

 

Exit mobile version