Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે કાનપુરની મુલાકાત લેશે-કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર 2021 ના રોજ કાનપુરની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1:30 વાગ્યે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પહેલા પ્રધાનમંત્રી લગભગ 11 વાગ્યે IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

શહેરી ગતિશીલતામાં સુધારો એ વડાપ્રધાનના મુખ્ય લક્ષિત ક્ષેત્રોમાંનું એક છે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન આ દિશામાં એક બીજું પગલું છે. આ પૂર્ણ થયેલો 9 કિલોમીટર લાંબો વિભાગ IIT કાનપુરથી મોતી ઝીલ સુધીનો છે. વડાપ્રધાન કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધીની મેટ્રો રાઈડ હાથ ધરશે. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સમગ્ર લંબાઈ 32 કિમી છે, અને તે રૂ. 11,000 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. 356 કિલોમીટર લાંબા પ્રોજેક્ટની ક્ષમતા વાર્ષિક 3.45 મિલિયન મેટ્રિક ટન છે. મધ્યપ્રદેશની બીના રિફાઈનરીથી કાનપુરના પનકી સુધી વિસ્તરેલો આ પ્રોજેક્ટ રૂ. 1500 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે પ્રદેશને બીના રિફાઈનરીમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનો મેળવવામાં મદદ કરશે.

વડાપ્રધાન IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ હશે. કોન્વોકેશન દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન-ડ્રિવન ટેક્નોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવશે. વડાપ્રધાન બ્લોકચેન આધારિત ડીજીટલ ડીગ્રીઓ લોન્ચ કરશે. આ ડિજિટલ ડિગ્રીઓ વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે અને તેની સાથે ચેડાં થઈ શકતા નથી.