Site icon Revoi.in

પીએમ મોદી આજે ઋષિકેશની મુલાકાતે – કેટલીક ખાસ યોજનાઓનું કરશે લોકાર્પણ

Social Share

પીએમ મોદી આજે ઋષિકેશની મુલાકાતે
ખાસ યોજનાઓનું કરશે લોકાર્પણ

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે આસપાસ ઉત્તરાખંડની મુલાકાતે આવનાર છે. તેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઋષિકેશમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા, તેઓ દેશભરની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં સ્થાપિત 35 જેટલા ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.

સરકારી તંત્ર તેમની મુલાકાત અંગે સંપૂર્ણ રીતે સજાગ બન્યું છે, ત્યારે રાજ્ય સરકાર અને સંગઠન પણ તેમની આ મુલાકાતને લઈને ઉત્સાહિત છે. રાજ્યને ચૂંટણી વર્ષમાં પીએમની મુલાકાતથી કેટલીક ભેટો મળે તેવી અપેક્ષા છે. જો કે આ વડાપ્રધાનની રાજકીય મુલાકાત નથી, પરંતુ અપેક્ષા છે કે તેઓ ઉત્તરાખંડ માટે મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત રાજ્યના રસ્તા, સુરંગ અને સરહદી વિસ્તાર વિકાસ, મહિલા કલ્યાણ માટે કરી શકાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શાસન અને વહીવટના સ્તરે પીએમની મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે.

પીએમ મોદીની સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે,આ બાબતે અઘિકારીઓની પણ સમીક્ષા બેઠક યોજી હતી. દેહરાદૂનના જિલ્લા મેજિસ્ટ્રેટે વહીવટી અધિકારીઓને પણ મોરચા પર રાખ્યા છે. સ્પેશિયલ પ્રોટેક્શન ટીમએ ઋષિકેશ હેલિપેડ અને એઈમ્સ સુધી કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

પ્રધાનમંત્રીની મુલાકાત અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે કે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન થવું જોઈએ. સરકારે આ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. પીએમ મોદી મોદી બાબા કેદારના એકમાત્ર ભક્ત હોવાને કારણે હજુ પણ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ કેદારનાથ દર્શન માટે પણ જઈ શકે છે.

Exit mobile version