- આજે જાપાનના પૂર્ન પીએમના રાજકિય અંતિમસંસ્કાર
- પીએમ મોદી પણ આપશે હાજરી
દિલ્હીઃ- દેશનાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસે જાપાન પહોંચ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે મોદીજી આજે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં સામેલ થવા માટે જાપાનના ટોકિયો પહોંચી ગયા છે. અહીંથી પીએમ મોદી અકાસાકા પેલેસ જશે, જ્યાં અભિવાદન સમારોહમાં હાજર રહેશે.
આ બાબતને લઈનેવિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું કે પીએમ મોદીની 12 થી 16 કલાક જાપાનની આ મુલાકાત દરમિયાન તેઓ જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત અને દ્વિપક્ષીય બેઠક કરશે.
આ સાથે જ પીએમ મોદી રાજ્યના અંતિમ સંસ્કાર દરમિયાન શ્રીમતી આબેને વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સાથે જ જણઆવ્અંયું છે કે અંતિમ સંસ્કારમાં 20 થી રાજ્યો અને સરકારના નેતાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી શકે છે.
આ સહીત તેમણે માહિતી આપી હતી કે નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન આબેને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવાની તક હશે. જેમને તેઓ એક પ્રિય મિત્ર અને ભારત-જાપાની સંબંધોના મહાન ચેમ્પિયન માનતા હતા. બન્એને નેતાઓએ એક દાયકામાં તેમની ઘણી ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા વિશ્વાસ અને મિત્રતાનું વ્યક્તિગત બંધન વિકસાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાન શિન્ઝો ફ્યુમિયો કિશિદાએ 27 સપ્ટેમ્બરે આબેના અંતિમ સંસ્કારના એક દિવસ પહેલાં વિદેશી નેતાઓ સાથે બેઠકો યોજી હતી.