Site icon Revoi.in

બદ્રીનાથ મંદિરમાં પીએમ મોદીએ ભગવાનની પૂજા-અર્ચના કરી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં બાબના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બદ્રીનાથ મંદિર ગયા હતા. જ્યાં તેમણે બાબાની પૂજા-અર્ચના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત જનરલ ગુરમિત સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરહદ પાસે આવેલા અંતિમ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી.