- આજે ભાજપના 44 મો સ્થાપના દિવસ
- પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરકર્તાનો સંબોધિત કર્યા
દિલ્હીઃ- આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 44મો સ્થાપના દિવસ મનાવી રહી છે આજના આ ખાસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
પીએમ મોદીએ પોતાના 40 મિનિટ 43 સેકન્ડના ભાષણમાં વડાપ્રધાને પાર્ટીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો. કાર્યકર્તાઓને સંગઠિત અને મજબૂત બનવાનો મંત્ર આપ્યો. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ જણાવ્યું.
તેમણે કહ્યું કે, ભાજપ ખરા અર્થમાં દેશના દલિત સમાજ માટે આશાનું કિરણ બનીને રહી છે. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે આવા પક્ષોની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને પ્રદેશવાદની રહી છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં પાર્ટીના જૂના સ્થાપક સભ્યોને જૂના નેતાઓને યાદ કર્યા. આજે હનુમાન જયંતિ છે. એટલા માટે પીએમ મોદીએ ભગવાન હનુમાનનો ઉલ્લેખ કરતા પણ ઘણા ઉદાહરણો આપ્યા. કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા.
તેમણે એમ પણ કહ્યું કે ‘આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. બજરંગબલીના નામનો પોકાર સર્વત્ર ગુંજી રહ્યો છે. હનુમાનજીનું જીવન અને ઘટનાઓ આજે પણ ભારતના વિકાસની યાત્રામાં આપણને પ્રેરણા આપે છે.
આ દરમિયાન તેણે વિરોધ પક્ષ કોગંર્સેને પણ આડે હાથ લીઘું હતું.અને ભારતીય જનતા પાર્ટીનો નિપક્ષ કાર્યકર્તાઓ સામે રાખ્યો હતો.પીએમ મોદીએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેમની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને પ્રાદેશિકવાદની રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી ની રાજકીય સંસ્કૃતિ દરેક દેશવાસીને સાથે લઈને ચાલવાની છે.
ભાજપના 44મા સ્થાપના દિવસ પર પાર્ટીના કાર્યકરોને સંબોધતા મોદીએ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને કાયદો અને વ્યવસ્થાના પડકારોથી ભારતને મુક્ત કરવાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.ભારતને લોકશાહીની માતા ગણાવતા મોદીએ કહ્યું કે શરૂઆતથી જ ભાજપનો વિશ્વાસ જનવિવેક પર રહ્યો છે અને તે વિશ્વાસ દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે.
મોદીએ કહ્યું, “તેમને સમાજની બિલકુલ પરવા નથી, જ્યારે ભાજપ સામાજિક ન્યાય માટે જીવે છે અને તેની ભાવનાને શાબ્દિક રીતે અનુસરે છે. 80 કરોડ ગરીબ લોકોને કોઈપણ ભેદભાવ વિના મફત રાશન મળવું એ સામાજિક ન્યાયનું પ્રતિબિંબ છે. ભેદભાવ વિના 50 કરોડ ગરીબોને 5,00,000 રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવી એ સામાજિક ન્યાયની મજબૂત અભિવ્યક્તિ છે.
તેમણે કહ્યું કે, “ભાજપનો જન્મ લોકશાહીના ગર્ભમાંથી થયો છે, ભાજપ લોકશાહીના અમૃતથી પોષાય છે અને ભાજપ દેશની લોકશાહી અને તેના બંધારણને મજબૂત કરવાની સાથે સમર્પણ સાથે દેશ માટે દિવસ-રાત કામ કરી રહી છે.”