Site icon Revoi.in

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પાંચ વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં કેટલા પ્રવાસીઓ આવ્યા ?

Social Share

અમદાવાદ: વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને PM બન્યા પછી વર્ષ 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે દેશને સમર્પિત કરવામાં આવી હતી.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અંદાજે રૂ. 2989 કરોડમાં પૂર્ણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 1.53 કરોડ પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રતિમા બન્યા બાદ સ્થાનિક લોકોને રોજગારીની તકો મળી અને ગુજરાત અને દેશના પ્રવાસીઓને પણ નવું પ્રવાસન સ્થળ મળ્યું. 

પ્રવાસીઓ ક્યારે અને કેટલા આવ્યા 

વર્ષ 2018માં 4.53 લાખ
વર્ષ 2019માં 27.45 લાખ
વર્ષ 2020 માં 12.81 લાખ (કોવિડ સમય)
વર્ષ 2021માં 34.29 લાખ
વર્ષ 2022માં 41.32 લાખ
વર્ષ 2023 માં 31.92 લાખ

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી. આ પછી વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ એક પછી એક 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા પણ હવે એકતા નગર બની ગયું છે.

કયા પ્રોજેક્ટ્સ પહેલેથી જ શરૂ થઈ ગયા છે?

શું શરૂ થઈ રહ્યું છે?