Site icon Revoi.in

દિલ્હીમાં 26મીએ ખેડૂતોની રેલી રોકવા પોલીસને છૂટ, થઈ શકે ઘર્ષણ

Social Share

– આગામી 26 તારીખે ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાશે
– સુપ્રીમે રેલી રોકવા માટે પોલીસને આપી છૂટ
– આ દરમિયાન રેલી દરમિયાન ઘર્ષણ થવાની શકયતા

દિલ્હીઃ આગામી પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતો દિલ્હીમાં એક વિશાળ રેલી કાઢવા જઈ રહ્યા છે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ આપવો કે નહીં તે નિર્ણય લેવા માટે પોલીસ સ્વતંત્ર છે.

બીજી તરફ ખેડૂતોએ આ રેલી અંગે કહ્યું હતું કે તે રેલી કાઢી તે ખેડૂતોને બંધારણીય અધિકાર છે અને તેને કોઈ જ રોકી નહી શકે આ વચ્ચે હવે આગામી ૨૬મી તારીખે પોલિસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં ખેડૂતોએ કરેલી તે કાયદો અને વ્યવસ્થાનું મામલો છે તેથી દિલ્હી પોલીસ ખેડૂતોને પ્રવેશવા દેવા કે નહીં તે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સી એ બોબડેની અધ્યક્ષતા વાળી બેંચે એટર્ની જનરલ કે કે વેણુગોપાલને કહ્યું હતું કે પોલીસ પાસે શું સત્તા છે અને તેઓએ શું પગલા લેવા જોઇએ તેવું કહેવાની સુપ્રીમ કોર્ટને કોઇ જરૂર છે? અમે આવો કોઇ જ આદેશ પોલીસને નહીં આપીએ. આ સમગ્ર મામલાની વધુ સુનાવણી આગામી 20મી જાન્યુઆરીએ હાથ ધરવામા આવશે.

જ્યારે બીજી તરફ દિલ્હી પોલીસ સાથે અગાઉ ખેડૂતોનું ઘર્ષણ થઇ ચુક્યું છે. એવામાં 26મી તારીખે વધુ એક ઘર્ષણ થવાની શક્યતાઓ છે. ભારતીય કિસાન યુનિયન લાખોવાલના પંજાબના જનરલ સેક્રેટરી પરમજિતસિંહે કહ્યું હતું કે ખેડૂતો 26મીએ રાજઘાટ જેવા ભારે સુરક્ષા વાળા સંવેદનશીલ વિસ્તારોમાં આ ટ્રેક્ટર રેલી કાઢવા નથી જઇ રહ્યા પણ આઉટર રિંગ રોડ પર આ રેલી કાઢવામાં આવશે.

પોલીસ કદાચ અનુમતી ન આપે તો શું કરશો તેના જવાબમાં ખેડૂત નેતાએ કહ્યું હતું કે શાંતિપૂર્વક ટ્રેક્ટર રેલી કાઢવી તે ખેડૂતોનો બંધારણીય અિધકાર છે. હાલ કોરોના મહામારી વચ્ચે રસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે.

એવામાં ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોરોનાની રસી નહીં લઇએ. ધરણા કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે અમે કાયદા રદ ન થાય ત્યાં સુધી દિલ્હીને નહીં છોડીએ અને પોતાના વતનમાં કોરોનાની રસી લેવા માટે નહીં જઇએ.