Site icon Revoi.in

એન્ટિબોડીની દવા લેનારા 40 લોકો પર સકારાત્મક અસર, એક જ દિવસમાં કોરોનાના લક્ષણોમાંથી મળી રાહત

Social Share

હેદરાબાદ: કોરોનાવાયરસને લઈને હવે અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક તેની સારી અસર જોવા મળી રહી છે તો ક્યાંક ગંભીર અસર પણ જોવા મળી રહી છે. આવામાં હેદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગૈસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 40થી વધારે કોરોના સંક્રમિત લોકોને મોનોક્લોનલ એન્ટિબોડીની દવા આપવામાં આવી છે.

હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.નાગેશ્વર રેડ્ડીએ કહ્યું કે દવાએ દર્દીઓ પર સારી રીતે કામ કર્યું છે અને 24 કલાકમાં દર્દી તાવ અને કમજોરીથી સ્વસ્થ થઈ ગયા છે. હકીકતમાં, હૈદરાબાદ સ્થિત એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએંટોરોલોજી તેના સંશોધન દ્વારા એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ સારવાર કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર “ડેલ્ટા” સામે અસરકારક છે કે નહીં.

ડૉ.નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમેરિકાના અભ્યાસોએ બતાવ્યું છે કે મોનોક્લોનલ એન્ટિબોડીઝની એક માત્રાવાળી દવા કોરોનાના બ્રિટિશ વેરિયન્ટ, બ્રાઝિલિયન અને દક્ષિણ આફ્રિકન વેરિયન્ટ સામે પણ અસરકારક છે. આપણા દેશમાં હાજર ડેલ્ટા વેરિઅન્ટ સામે કોઈએ પણ આ ડ્રગનું પરીક્ષણ કર્યું નથી. તેમણે કહ્યું કે અમે હાલમાં આ ડ્રગ અને વાયરસ પર તેની અસરની પરીક્ષણ કરી રહ્યા છીએ.

રેડ્ડીએ જણાવ્યું હતું કે હવે આપણી પાસે 40 દર્દીઓમાં આ દવાનું પરિણામ છે. આ દર્દીઓને દવા આપ્યાના એક અઠવાડિયા પછી, આરટી-પીસીઆર પરીક્ષણમાં લગભગ 100 ટકા કેસોમાં વાયરસ અદૃશ્ય થઈ ગયો છે.