Site icon Revoi.in

રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રામમંદિરના જળ અભિષેક માટે  7 ખંડોના 155 દેશો, નદીઓ અને સમુદ્રના જળથી અભિષેક કરવામાં આવશે. આ માહિતી દિલ્હી સ્ટડી ગ્રુપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ મીડિયાને આપી છે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સાથે કારસેવકપુરમમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દરેક દેશના પાણીને તાંબાના વાસણમાં પેક કરીને સીલ કરવામાં આવ્યા છે.

આઅ સાથે જ આ ચિઠ્ઠીઓ પર દેશના નામ અને ધ્વજનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું છે. આ સાથે તેને કેસરી રિબનથી શણગારવામાં આવ્યું હતું. સેમિનાર દ્વારા, 23 એપ્રિલે રામ મંદિરના અભિષેક પહેલા મણિરામદાસ જીની છાવણીના ઓડિટોરિયમમાં શ્રી રામ અને રામ મંદિરની વૈશ્વિકતાની વ્યાખ્યા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે આ કાર્યક્રમ દરમિયાન અન્ય ઘણા મહાનુભાવો પણ ત્યાં હાજર રહેશે. અહેવાલો અનુસાર જલાભિષેક માટે ટીનીટોડ, મોરેશિયસ, ફિજી, થાઈલેન્ડ, યુક્રેન, રશિયા અને પાકિસ્તાનથી પણ પાણી લાવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં 20 થી વધુ દેશોના વિદેશી ભારતીય નેતાઓની સાથે સાથે ઘણા દેશોના રાજદ્વારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેમાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.  પીએમ મોદીની પ્રેરણા લઈને ઓગસ્ટ 2020 માં પ્રતિજ્ઞા લેવામાં આવી હતી હતી કે વિશ્વભરની નદીઓ અને સમુદ્રોમાંથી પાણી એકત્ર કરીને તેઓ ભગવાન રામના મંદિરનો જલાભિષેક કરવામાં આવશે. આ એપિસોડમાં તે દરેકના પ્રયાસોથી આગળ વધી રહ્યો છે.